Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

કેદારનાથ સોસાયટીમાં માનસિક તકલીફને કારણે પ્રેમીબેનનો અગ્નિસ્નાન કરી આપઘાત

૮૦ વર્ષના લેઉવા પટેલ વૃધ્ધાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: કોઠારીયા રોડ પર ન્યુ કેદારનાથ સોાયટી-૩માં રહેતાં પ્રેમીબેન બચુભાઇ પીપળીયા (ઉ.૮૦) નામના લેઉવા પટેલ વૃધ્ધાએ ગઇકાલે બપોર બાદ અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. રાત્રીના તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે ભકિતનગરમાં જાણ કરતાં મહિલા પીએસઆઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રેમીબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેમના સ્વજનના કહેવા મુજબ માનસિક તકલીફ હોઇ કંટાળીને આ પગલું ભરી લીધું હતું. (૧૪.૫)

(2:43 pm IST)