Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

દિમાગથી નહીં દિલથી, પૈસાથી નહી પ્રેમથી, સ્વાર્થથી નહી પરમાર્થથી જીવો : પૂ. ધીરગુરૂદેવ

જોરાવરનગરમાં લીલાબા ઉપાશ્રયનું ઉદ્ઘાટન

રાજકોટ તા ૧૧ :  શ્રી વર્ધમાન વૈયાવસ્થ કેન્દ્ર પ્રેરિત માતુશ્રી લીલાબેન ભુરાલાલ શાહ- જૈન ઉપાશ્રયનું ઉદ્ઘાટન પૂ.શ્રી ધીરગુરૂદેવ તથા પૂ. મહાત્મા હસમુખમુનિ મ.સા. આદિ, પૂ. શુભેચ્છાકુમારીજી આદિ, પૂ.શીતલજી આદિની નિશ્રામાં કરવામાં આવેલ છે.જીવદયા કળશનો લાભ કમળાબેન ચીમનલાલ શેઠે લીધેલ, ઉપાશ્રય નિર્માણ દાત્તા ચેતના અને વિજયકુમાર શાહનું સન્માન  જોરાવરનગર અન ે રતનપર સંઘના પદાધિકારીઓએ કરેલ.પૂ . ગુરૂદેવે કહેલ કે જીવનને સફળ બનાવવા   દિમાગથી નહી   દિલથી, પૈસાથી નહી  પ્રેમથી અને સ્વાર્થથી નહી પરમાર્થથી જીવો. દુષ્યંત શેઠની સેવાઓને બિરદાવી સન્માન કરાયું હતું.

(4:13 pm IST)