Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

નવી મેંગણી પાસે વાડીના કુવામાંથી નિર્મળાબેન ચોરાળાની કુલાયેલી લાશ મળી

વણકર પ્રૌઢા પરમ દિવસે ઘરેથી નિકળી ગયા'તાઃ માનસીક બીમારીના કારણે આપઘાત કર્યાનું ખુલ્યુ

રાજકોટ તા. ૧૧ :.. કોટડા સાંગાણીના નવી મેંગણી ગામ પાસે વાડીના કુવામાં ઝંપલાવી વણકર પ્રૌઢાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. માનસીક બિમારીના કારણે પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું.

મળતી વિગત મુજબ નવી મેંગણી નજીક વીડીના રસ્તે રામજીભાઇ પટેલની વાડીના કુવામાંથી ગઇકાલે ગામમાં રહેતા નિર્મળાબેન ખીમજીભાઇ ચોરાળા (ઉ.પપ) ની ફુલાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા કોટડા સાંગાણી પોલીસે સ્થળ પર પહોંચી પ્રૌઢાની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં  પોસ્ટમોર્ટમ કરાવવા માટે ખસેડી હતી.

મૃતક નિર્મળાબેનના પતિ જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં નોકરી કરે છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. નિર્મળાબેન માનસીક બીમાર હોઇ તેથી તે પરમ દિવસે ઘરેથી નિકળી ગયા હતાં. આથી પ્રૌઢાએ માનસીક બીમારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

(4:00 pm IST)