Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાજકોટમાં સતત ચોથા દિવસે પ્રચારમાં નરહરિ અમીન વ્યસ્ત

કાર્યાલય ઉદઘાટનો, સભાઓ, લોકસંપર્કમાં સતત હાજર

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના પ્રભારી શ્રી નરહરિ અમીન ચાર દિવસથી ચૂંટણી પ્રચારાર્થે રાજકોટમાં મુકામ કરી રહ્યા છે. તેઓ શહેરની ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિથી સારી પેઠે વાકેફ છે. રાજકોટ પંથકમાં તેમના વ્યાપક સંપર્કો છે. તેનો ભાજપના લાભાર્થે ઉપયોગ કરી રહ્યા છે. શ્રી નરહરિ અમીન ચાર દિવસથી રાજકોટમાં લોકસંપર્ક, જાહેરસભાઓ, જુથ બેઠકો, પાર્ટીની બેઠકો વગેરેમાં હાજરી આપી રહ્યા છે. તેઓ પ્રભાવશાળી પ્રવચનમાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવી ૨૩ એપ્રિલે કમળનુ બટન દબાવવા મતદારોને અપીલ કરી રહ્યા છે. શહેર ઉપરાંત તેમણે લોકસભા મતક્ષેત્રમાં આવતા ગ્રામીણ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. આવતા અઠવાડીયે તેઓ ફરી રાજકોટ પ્રચારાર્થે આવનાર છે.

(3:47 pm IST)