Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

શહેર ભાજપ દ્વારા કાલે ઘરણા

કોંગ્રેસે સંસદીય કાર્યવાહી ખોરવ્યાના વિરોધમાં ઢેબરચોકમાં સાંસદ કુંડારીયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા.૧૧: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, ભરત બોધરા, જયંતીભાઇ ઢોલની સંયુકત યાદીમાં જણાવ્યું છે કે આવતીકાલે તા.૧૨ના ગુરૂવારે સવારે ૧૦થી૫ દરમ્યાન શહેરના ખાદી ભવન સામે ઢેબરચોક ખાતે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા દ્વારા કોંગ્રસ ધ્વારા સંસદીય કાર્યવાહી ખોરવવાની ઘટના સામે ઘરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.  સંસદની કાર્યવાહી ન ચાલવા દઇને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. કોંગ્રસે ફરી એકવાર તેની નકમરાત્મક માનસીકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસાદોએ નૈતિકતા બતાવીને ૨૩ દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે દેશભરમાં ભાજપના તમામ સાંસદો, કાર્યકર્તાઓ, હોદેદારો, આગેવાનો  પોતાના વિસ્તારમાં એક દિવસના ઉપવાસ કરી કોંગ્રોસની હિન માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી પાડશે. શહેર ભાજપ ધ્વારા આ ઘરણા કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા કમલેશ મિરાણી,  દેવાંગ માંકડ, જીતુ કોઠરી, કિશોર રાઠોડે, ભાનુભાઇ મેતા, ભરત બોઘરા, જયંતીભાઇ  ઢોલે જાહેર અનુરોધ કર્યો છે.(૨૨.૧૦)

(4:35 pm IST)