Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ચોટીલા દર્શને જતી વખતે બસની ઠોકરે ઘવાયેલા રાજકોટના રોહિત કોળીનું મોત

શનિવારે ચુનારાવાડમાંથી બે માસીયાઇ ભાઇ અને મિત્રો બાઇક લઇ દર્શને જવા નીકળ્યા'તાઃ ૧૮ વર્ષના યુવાને સારવાર દરમિયાન દમ તોડતાં પરિવામાં શોક

રાજકોટ તા. ૧૧: ગયા શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યે ચોટીલા નજીક બામણબોર પાસે ખાનગી બસની ઠોકરે બાઇક ચડી જતાં રાજકોટ ચુનારાવાડના રોહિત રાજુભાઇ મકવાણા (કોળી) (ઉ.૧૮) અને તેની પાછળ બેઠેલા માસીયાઇ ભાઇ ચુનારાવાડ-૭માં રહેતાં રોહિત ભૂપતભાઇ મકવાણા (ઉ.૧૮)ને ઇજાઓ થઇ હતી. બંનેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જેમાં રોહિત રાજુભાઇને બીજા દિવસે રજા અપાઇ હતી. સારવારમાં રહેલા રોહિત ભૂપતભાઇનું ગત રાત્રે મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મૃત્યુ પામનાર રોહિત બંગડીના કારખાનામાં મજૂરી કરતો અને બે ભાઇમાં નાનો હતો. યુવાન અને આશાસ્પદ દિકરાના મોતથી કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:21 am IST)