Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કોંગ્રેસની માનસિકતા હલકી : એને ખૂલ્લી કરવા કાલે ઢેબર ચોકમાં ભાજપના ઉપવાસ

સંસદની કાર્યવાહી ન ચાલવા દઇને પ્રજાના પૈસા વેડફયા

રાજકોટ, તા. ૧૧ : જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરા જણાવે છે કે, કાલે તા.૧ર એપ્રિલે કેન્દ્રીય ભાજપા દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ નક્કી થયા મુજબ ભાજપાના તમામ સાંસદો દ્વારા તેમના મત વિસ્તારમાં એક દિવસનો પ્રતિકાત્મક ઉપવાસ કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજકોટ ઐતિહાસિક ઢેબર ચોક ખાતે તા. ૧ર એપ્રિલ, સવારે ૧૦:૦૦ થી સાંજે પઃ૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. રાજકોટમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા ઉપવાસ કરશે.

શ્રી સખીયા-મેતાએ કોંગ્રેસના કરતુતોને આડેહાથ લેતા વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસએ દેશની પ્રજાને ઉધા ચશ્મા ચડાવવા ખોટા પ્રશ્નો રજૂ કરીને સંસદની કાર્યવાહી ચાલવા ન દઇને કોંગ્રેસએ દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે ખોટા બુમબરાડા પાડીને સંસદની કાર્યવાહી ખોરવીને કોંગ્રેસએ ફરી એક વખત તેની નકારાત્મક માનસિકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને ર૩ દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જીલ્લા ભાજપાના સાંસદ અને ભાજપાના કાર્યકરો, હોદેદારો, આગેવાનો ઢેબર ચોક ખાતે એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ કરી કોંગ્રેસની હલકી માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી મૂકવામાં આવશે.

ઉપવાસમાં રાજકોટ જીલ્લાના સસદ ઉપસ્થિત રહી ઉપવાસ કરશે તેમની સાથે જીલ્લામાં રહેતા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદેદારો, જીલ્લા સંકલન સમિતિના સભ્યો જીલ્લા હોદેદારો, ધારાસભ્યો, (વર્તમાન અને પૂર્વ), મોરચાઓના જીલ્લા પ્રમુખો, શહેર/તાલુકાના ભાજપના પ્રમુખશ્રી-મહામંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન-વાઇસ ચેરમેન, ડીરેકટરશ્રીઓ, જીલ્લા સ્તરની સહકારી ક્ષેત્રની સંસ્થાના ચેરમેનશ્રી-વાઇસ ચેરમેન, જીલ્લા પંચાયતના પક્ષના ચૂંટાયેલા સભ્યો વગેરે હાજરી આપશે. (૮.૪)

 

 

(9:53 am IST)