Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

લગ્ન જોવડાવવાના ના બે દિવસ પહેલા જ રાજકોટના યુવકે કર્યો આપઘાત

શહેરના યુવનિવર્સિટી રોડ ઉપરના પુષ્કરધામ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા 21 વર્ષીય મેહૂલ લાભશંકરભાઇ કુકાવાએ પોતાના લગ્ન જોવડાવવાના બે દિવસપહેલા ઘરે પંખાના હુકમાં ઓઢળી નાખી આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટી રોડ ઉપરના પુષ્કરધામમાં રહેતા મેહુલ બે ભાઇમાં મોટો હતો. મોરબી રોડ ઉપર રહેતા જ્ઞાતિના પરિવારની યુવતી સાથે સગાઇ થઇ હતી.અને બે દિવ બાદ લગ્ન જોવડાવવાના હતા. મેહુલ શુક્રવારે રાત્રે ઘરે આવ્યો હતો.

માતાએ જમવાનું પુછ્યું તો તેણે પોતે નાસ્તો કરીને આવ્યો છે નથી જમવું કહી પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. બીજા દિવસે સવારે સમયસર નહીં જાગતા માતા જગાડવા ગઇ હતી. રૂમ બંધ હોવાથી પતિને બોલાવ્યા હતા. રૂમનો દરવાજો ખોલાવતા પુત્રનો દેહ લટકતો જોઇને બંને અવાચક બની ગયા હતા.

(11:19 pm IST)