Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

મ્યુ.કોર્પોરેશનનાં સેક્રેટરી વિભાગનાં વર્ગ -૪નાં કર્મચારી ઉમેશભાઇ કુંડલીયા વયનિવૃતઃ ભવ્ય વિદાય સમારોહ

રાજકોટઃ મહાનગરપાલિકામાં સેક્રેટરી શાખાના વર્ગ-૪ના કર્મચારી તરીકે ઉમેશભાઈ કુંડલીયા સતત ૨૧ વર્ષથી વધુ સમય ફરજ બજાવી તા.૩૧જાન્યુ.ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા સેક્રેટરી વિભાગ દ્વારા તેમનો નિવૃત્ત્િ। વિદાયમાન સમાંરભ યોજાયો હતો.  આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મ્યુનિસિપલ સેક્રેટરી રૃપારેલીઆ, ચીફ ઓડિટર આર. જે. શાહ, પી.એ. ટુ મેયર કે. એચ. હિંડોચા, પી. એ. ટુ ચેરમેન સી. એન. રાણપરા, મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર તથા સેક્રેટરી વિભાગના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. ઉમેશભાઈ કુંડલીયાની નિવૃત્ત્િ। પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારે શુભેચ્છા પાઠવી હતી.

(3:49 pm IST)