Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ત્રંબાના વડાળીમાં વહેલી સવારે કૃષ્ણકપિલા વાછરડી પર સિંહનો હુમલોઃ ગંભીર હાલત

રાજકોટઃ ત્રંબાના વડાળીમાં આજે વહેલી સવારે સીમશાળા વિસ્તારાં ગોરધનભાઇ શામજીભાઇ બારૈયાની વાડીમાં ત્રાટકેલા સિંહોએ અતિ કિમતી ગણાતી કૃષ્ણકપિલા વાછરડી પર હુમલો કરી ગળામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. વાછરડી ભાંભરડા નાંખવા માંડતા લોકો જાગી જતાં સિંહો તેને અધમુવી છોડીને ભાગી ગયા હતાં. બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ પહોંચી કાર્યવાહી કરી હતી. ત્રંબાથી જી. એન. જાદવે તસ્વીરો મોકલી જણાવ્યું હતું કે લાંબા સમયથી સિંહો ત્રંબા-વડાળી વિસ્તારમાં ધામા નાંખીને મારણ કરી રહ્યા છે.

(3:52 pm IST)