Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગૌ આધારીત ખર્ચ વગરની ખેતી : અચૂક અપનાવો

જીવામૃત

જ્જ દેશી ગાયનું ગોબર ૧૦ કિલો જ્જ દેશી ગોળ ૧ કિલો જ્જ ગૌમૂત્ર ૫ લીટર જ્જ કોઇપણ કઠોળનો લોટ ૧ કિલો જ્જ શેઢા-પાળાની માટી ૧ કિલો

આ બધી વસ્‍તુ ૨૦૦ લીટર પાણીના બેરલમાં મિકસ કરી દિવસમાં ત્રણ વાર ઘડીયાળનાં કાંટાની દિશામાં લાકડાથી હલાવવું. ૪૮ કલાક રાખી આ જીવામૃત ૧ એકરે ધોરીયામાં પાણી સાથે આપવું (જીવામૃત દર ૧૫ દિવસે આપવું)

પાક વૃધ્‍ધિ માટે છંટકાવ

એક પમ્‍પમાં ૫૦૦ મીલી. ગૌમૂત્ર અને ૫૦૦ મીલી, ખાટી છાશ મિકસ કરી દર ૧૫ દિવસે છંટકાવો કરવો.

દરેક પાકમાં રોગ નિયંત્રણ

જ્જ ગૌમૂત્ર ૨૦ લીટર જ્જ તીખા મરચાં ૧ કિલો જ્જ કડવા લીમડાના પાન ૨ કિલો જ્જ દેશી તમાકુ ૧ કિલો જ્જ આંકડાના પાન ૨ કિલો જ્જ લસણ ૧ કિલો જ્જ ધતુરાના પાન ૧ કિલો (પાકમાં રોગ હોય કે ન હોય ૧૫ દિવસે ઉપયોગ કરવો)

આ બધી વસ્‍તુ મિકસરમાં પીસી ૨૦ લીટર ગૌમૂત્રમાં નાખવી. ૪૮ કલાક પછી આ દ્રાવણ મોટા વાસણમાં નાખી ધીમા તાપે ગરમ કરવું. ત્‍યાર બાદ એક પંપે ૧૦૦ થી ૧૫૦ મીલી આ દ્રાવણ ગાળી છોડ ઉપર છંટકાવ કરવો, જેથી રોગ નિયંત્રણ થશે.

ઘન જીવામૃત - પાયાનું ખાતર

જ્જ દેશી ગાયનું તાજું ગોબર ૧૦૦ કિલો જ્જ ગૌમૂત્ર ૫ લીટર જ્જ સેઢા-પાળાની માટી ૧ કિલો જ્જ દેશી ગોળ ૧ કિલો જ્જ ચણાનો અથવા કોઇપણ કઠોળનો લોટ ૧ કિલો

આ બધુ મિકસ કરી છાંયે સુકવો, સુકાયા પછી એક એકર જમીનમાં પાયાના ખાતર તરીકે ઉપયોગમાં લેવું.

મર્ચીમાં કુકડ માટે અક્ષીર ઇલાજ

જ્જ ૫૦૦ મીલી ગાયનું દૂધ જ્જ ૧ ચમચી હળદર જ્જ ૧ ચમચી હીંગ

૧૫ લીટર પંપમાં નાખી દર ૧૫ દિવસે છંટકાવ કરવો.

ગાય આધારીત ખેતી ન કરતા ખેડૂતો માટે

પાક વાવેતર સમયનું ખાતર જ્જ એરંડી ખોળ ૫૦ કિલો જ્જ ચૂનો ૧ કિલો

આ ત્રણ મિકસ કરી ૧ વિઘે ચાસમાં નાંખવું. વાવેતર સમયે....

 

ગૌભક્‍ત : ભરતભાઇ પરસાણા

e-mail : bharatparsana123@gmail.com

 મો. ૯૭૨૬૩ ૯૯૬૯૯, રાજકોટ

(10:37 am IST)