Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કાલે સાવલીયા પરિવારનું સ્નેહમીલન-સન્માન

સંતો-મહંતો આર્શીવચન પાઠવશેઃ તબીબો-તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનઃ સમસ્ત પરિવારજનોને હાજરી આપવા મહેશ સાવલીયાનું આહવાન

રાજકોટઃ તા.૧૧, સાવલીયા પરિવાર ટ્રસ્ટ રાજકોટનું ૧૪મું સ્નેહમીલન તથા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન તા.૧૨ રવિવારના રોજ સાંજે ૪ કલાકે પાર્ટી પ્લોટ બીજો રીંગ રોડ મવડી, કણકોટ રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે. જેમા સમસ્ત સાવલીયા પરીવારે બહોળી સંખ્યામાં હાજરી આપવા સાવલીયા પરિવાર વતી ટ્રસ્ટના પ્રમુખશ્રી મહેશભાઇ સાવલીયા (હાર્મની ગ્રુપ) એ આહવાન કરેલ છે.

કાર્યક્રમનો દિપ પ્રાગ્ટયશ્રી ભકિતરામબાપુ મહંતશ્રી ભોજલધામ ફતેપુરના હસ્તે કરવામાં આવશે. જેમા સાવલીયા પરિવારના યુવા તેજસ્વી તારલાઓનું સરસ્તવતી સન્માન કરવામાં આવશે.

સાવલીયા પરિવારનું સ્નેહમીલનની ભાવના અને પરિવારના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ભણતરમાં ઉત્સાહ વધારવા માટે ભેટ અને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવે છે.

આયોજનને સફળ બનાવવા સાવલીયા પરિવાર ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટી પ્રમુખશ્રી મહેશભાઇ સાવલીયા (હાર્મની ગ્રુપ), ઉપપ્રમુખશ્રી રસિકભાઇ મનસુખભાઇ સાવલીયા, કાર્યકારી પ્રમુખશ્રી પિનલબેન સાવલીયા, મંત્રીશ્રી મનસુખભાઇ સાવલીયા (વ્રજગ્રુપ), ખજાનચીશ્રી પ્રફુલભાઇ સાવલીયા તથા પૂર્વ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા, સહમંત્રીશ્રી નરેન્દ્રભાઇ સાવલીયા તથા ટ્રસ્ટી ખીમજીભાઇ સાવલીયા, મહેશભાઇ સાવલીયા, પ્રવિણભાઇ સાવલીયા, મહેશભાઇ સાવલીયા, સંજયભાઇ સાવલીયા, દિલીપભાઇ સાવલીયા, પરસોતમભાઇ સાવલીયા, દિનેશભાઇ સાવલીયા તથા પરેશભાઇ સાવલીયા જહેમત ઉઠાવી રહયા છે.

(3:51 pm IST)