Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જાગનાથ સંઘમાં કાલે શત્રુંજય સતકાર ઉપર પૂ.યશોવિજયજી મ.સા.નું પ્રવચન

રાજકોટ,તા.૧૧: ચઢતા પગલે 'શત્રુંજય' ની 'યાત્રા' ઘણીવાર કરી. ચઢતા ભાવે 'શત્રુંજય'ની 'ભાવયાત્રા' કરવાનો અનેરો અવસર આવ્યો છે.

એક સાધક આત્માએ શત્રુંજય મહાગિરિના સાન્નિધ્યમાં કરેલ ભવ્ય સાધનાની અનુમોદનાર્થે એક ભવ્ય અનુષ્ઠાન.. આંખને છલકાવતી, હૃદયને ભીંજવતી, અંતઃકરણને તર-બ-તર કરતુ. શત્રુંજય સત્કાર વિષય ઉપર શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજનું જાહેર પ્રવચન કાલે તા. ૧૨ રવિવારના સવારે ૯ થી ૧૨ જાગનાથ સંઘમાં યોજાશે. પ્રવચન બાદ સાધર્મિક ભકિત રાખેલ છે.

લાભ લેવા અમીચંદજી જગતાજી વાણીગોતા પરિવાર (ભીનીમાલ - રાજસ્થાન) હસ્તે સંપતભાઇએ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે.

(3:25 pm IST)