Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુરૂ ગોવિંદસિંહજીના જન્મોત્સવ નિમીતે રવિવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ધર્મોત્સવ

ઓશો ધ્યાન શિબિર- સન્યાસ ઉત્સવઃ સંચાલક સ્વામી સત્યપ્રકાશ

રાજકોટઃ રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતુ અને છેલ્લા ૩૩ વર્ષોથી ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા.૧૩ને રવિવારના રોજ શીખ, સિંધી અને હિન્દુ સમાજ ગુરૂ ગોવિંદ સાહેબનો ૩૫૨મો જન્મોત્સવ છે. જેના અનુસંધાને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે રવિવારે બપોરે ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓશોના ધ્યાન પ્રયોગો, ગુરૂ ગોવિંદસાહેબના જન્મોત્સવની ર્ઉજવણી જમ્બો કેક કાપીને કિર્તન દ્વારા કરવામાં આવશે. સાથે લાફટર થેરાપીના નિષ્ણાત દિલ્હીવાળા અને ઓશો સન્યાસી જીતેન્દ્ર ઠકકરનો કાર્યક્રમ તથા ઓશો સન્યાસી મીસ્ત્રી નિતીનભાઈ ચાંડેગ્રાનો ગુરૂ ગોવિંદસિંહ પરનો વિશેષ વાર્તાલાપ, સંધ્યા સત્સંગ શિબિર બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત ગુરૂનાનક જયંતી નિમિતે યોજેલ ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા અનુરોધ કરેલ છે. સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ડી માર્ટની બાજુની ગલી, રાજકોટ વિશેષ માહિતી સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેષભાઈ કોટકનો સંપર્ક કરવો.

(3:28 pm IST)