Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બવા ટ્રસ્ટ દ્વારા યોજાયુ આહીર જ્ઞાતિ જીવનસાથી પસંદગી સંમેલન

રાજકોટ : આહીર કરશનભાઇ ભુરાભાઇ બવા મેમોરીયલ ફાઉન્ડેશન રાજકોટના ઉપક્રમે પાંચમો આહીર જ્ઞાતિ જીવનસાથી પસંદગી સમારોહ તાજેતરમાં યોજાય ગયો. જેમાં ૧૭૬ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભમાં સ્વાગત પ્રવચન વિનયચંદ્ર વાધમશીએ કરેલ. સમગ્ર સંચાલન પ્રો. કે. આર. રામે કરેલ. કાર્યક્રમ સંબંધી વિગતો આયોજક નારણભાઇ કે. આહીરે આપી હતી. કમીટી મેમ્બર્સ મેરામણભાઇ ગંભીર, હરસદાસભાઇ ડાંગર, રતિભાઇ ખુંગલા, બાબુભાઇ ખાંડેખાએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમમાં નાગદાનભાઇ ચાવડા, પરેશભાઇ હુંબલ, સવજીભાઇ મૈયડ, ધીરૂભાઇ ડાંગર, ચંદુભાઇ મિયાત્રા, દીલીપભાઇ આહીર (જીટીયુ), જી. કે. સોનારા, કાથડભાઇ ડાંગર, પો.ઇન્સ. બી. ટી. વાઢિયા, ઇન્દુબેન આહીર, ગીતાબેન જોટવા, રીટાબેન મારૂની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઇ ચૌહાણ, અર્જુન બાલા, રાજેશ ડાંગર, વિજય ડાંગર, હિતેશ સોનારા, વેજાણંદ આંબલિયા, પ્રવિણ કરમુર, કનુ ચાવડા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ એન. કે. આહીર (મો.૯૮૨૫૦ ૫૯૦૩૯) ની યાદીમાં જણાવાયુ છે.

(4:43 pm IST)