Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા કાલે જાગનાથ મંદિર ચોકમાં આરતી સુશોભન સ્પર્ધા

સાંજે ૭:૧૫ વાગે આરતી, વિજેતા બહેનોને ઈનામોથી નવાજાશે

રાજકોટઃ પરમ પૂજય જલારામ જન્મ જયંતી નિમિતે રઘુવંશી પરિવાર મહીલા સમિતિ દ્વારા આવતીકાલે ૧૧મીના ગુરૂવારના રોજ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

દર વર્ષની જેમ રઘુવંશી પરિવાર દ્વારા જલારામબાપાની જન્મજયંતી નિમિતે જાગનાથ મંદિર ચોક ખાતે આરતી સુશોભન સ્પર્ધા સાંજના ૫ થી ૬:૩૦ વાગ્યા સુધી તથા ૭:૧૫ વાગે મહાઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જાગૃતીબેન ખીમાણી ૭૮૭૮૦ ૩૬૧૪૧ આપનું નામ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વિજેતા બહેનોને ઈનામોથી નવાજાશે.

આયોજન સફળ બનાવવા માટે મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ,  તરૂબેન ચંદારાણા, પ્રીતિબેન પાઉં, શીતલબેન બુધ્ધદેવ, જાગૃતીબેન ખીમાણી, કિરણબેન કેસરિયા, તૃપ્તિબેન નથવાણી, શોભનાબેન બટવિયા, ઈલાબેન પંચમતિયા, અનીતાબેન પાઉં, ડોલીબેન નથવાણી, પલ્લવીબેન પોપટ, શીતલ નથવાણી, રીમાબેન મણિયાર, અમીબેન સેદાણી, નયનાબેન પોપટ, તૃપ્તિબેન તન્ના, રીધીબેન બરડાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કોરોના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. તસ્વીરમાં રઘુવંશી બહેનો નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:43 pm IST)