Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વીરડાવાજડીના સ્મશાનમાં ચાર દિ' પહેલા ઝેર પી લેનારા મુકેશનું મોત

ગૃહકલેશને કારણે પગલુ ભર્યુ હતું: સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૦: કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામે રહેતાં મુકેશભાઇ નાથાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામના યુવાને ગત તા.૬ના સાંજે ગામના સ્મશાનમાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ આર. બી. ગીડાએ જાણ કરતાં યુનિવર્સિટીના અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મુકેશભાઇ છુટક મજૂરી કરતો હતો. ગૃહકલેશ થયો હોઇ તેના કારણે સ્મશાનમાં ઝેરી દવા પી લીધી હતી.

(2:38 pm IST)