Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

રાજકોટમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત :વધુ એકનું મોત: અત્યાર સુધીમાં 10 લોકોને ભરખી ગયો

રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે બે પહેલા દોશી હોસ્પિટલમાં ૧૬ વર્ષના તરુણના મોત બાદ વધુ એક વ્યક્તિ કોઠારિયા રોડ પર અંકુશ સોસાયટીમાં રહેતા ઇમરાન અમિતભાઇ મુંગલ(ઉ.વી.૧૪)નું ડેન્ગ્યૂથી મોત થયુ છે .રાજકોટમાં જીવલેણ એવા ડેન્ગ્યૂના રોગચાળાનો ભયજનક રીતે અજગરભરડો આવ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યૂની સ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું મનપાની આરોગ્ય અને મેલેરિયા શાખા વાફેક હોવા છતાં કોઇ અસરકારક પગલાના બદલે જાણે કે હવામાં જ બાચકા ભરતી કામગીરી થતી હોવાનું પરિણામ દેખાઇ રહ્યુ છે. બે દિવસ પહેલા દોશી હોસ્પિટલમાં ૧૬ વર્ષના એક યુવાનનું મોત થયાની ઘટના બાદ વધુ એક વ્યક્તિનો જીવ ડેન્ગ્યૂથી ગયો હોવાની વાતથી મનપા અજાણ છે.

(7:38 pm IST)