Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ મુદ્દેની હડતાલ પાછી ખેંચાઈ

મંત્રી જયેશ રાદડિયા સાથે વેપારી એસો,ની બેઠકમાં સરકાર સાથે ચર્ચાની ખાતરી આપતા હડતાલ પરત ખેંચવા નિર્ણંય

રાજકોટ : ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ મુદ્દેની હડતાળ હવે પાછી ખેંચાઈ છે રવિવારથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગયાર્ડ કાર્યકત થઈ જશે.

  ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશને હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સાથેવેપારી એસોશિએસનની બેઠક યોજાયા બાદ એસોસિએશને હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

 એસોશિએશને જણાવ્યું કે મંત્રી જયેશ રાદડિયાએ સરકાર સાથે ચર્ચા કરાવી આપવાની ખાતરી આપતા એસોસિએસનને હડતાળ પરત ખેંચી છે

(11:21 pm IST)