Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

માધાપર ચોકડીએ અકસ્માત થયા બાદ વળતરના પૈસા બાબતે નગીન શેખ પર ત્રણ શખ્સોનો હુમલો

રાજકોટઃ ભોમેશ્વરની જાગૃતિ શ્રમજીવી સોસાયટી-૬/૧૫ના ખુણે રહેતાં નગીન યાસીનભાઇ શેખ (ઉ.૨૪)ને સાંજે માધાપર ચોકડીએ હતો ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ ધોકા-પાઇપથી માર મારતાં તેમજ પાનાથી પણ ફટકારતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. ગાંધીગ્રામના પીએસઆઇ વી. સી. પરમારે ફરિયાદ નોંધી હતી. નગીનના કહેવા મુજબ તેના ભાઇના એકટીવા સાથે સામેવાળાનું હોન્ડા અથડાયું હતું. તે અકસ્માતમાં વળતર નુકસાનીના પૈસા બાબતે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી પોતાના પર હુમલો કરી અજાણ્યા શખ્સો ભાગી ગયા હતાં.

(12:54 pm IST)