Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

લીવરની બિમારીના લીધે વાંકાનેરના વિનુભાઇ પરમારે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા ૧૦  : શહેરની સિીવલ હોસ્પિટલમાં લીવરની બીમારીના કારણે વાંકાનેરના યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી  વિગત મુજબ વાંકાનેરમાં રહેતા વિનુભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ.૨૭) ને લીવરની બીમારી હોઇ તેથી તેને સારવાર  માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે પ્ર નગર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.પી. વેગડાએ કાર્યવાહી કરી હતી.

(3:50 pm IST)