Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

મૂલ્ય, નિષ્ઠા, સેવા, સમર્પણ અને સહિષ્ણુતાનો એક યુગ પૂર્ણઃ રાજકીય, સામાજિક મહાનુભાવો દ્વારા મનોહરસિંહજી 'દાદા'ને શ્રધ્ધાંજલી

રાજકોટઃ રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાનું તાજેતરમાં દુઃખદ નિધન થયુ. પૂ. દાદાની સામાજિક, રાજકીય સુવાસની દિવ્ય લહેરો રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયેલી પ્રાર્થના સભા અને ઉતરક્રિયામાં અનુભવાય હતી. પૂ. દાદાના દેહવિલય બાદ રાજ પરિવારના સત્તાવાર નિવાસ સ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે તેમની છબી સન્મુખ અસંખ્ય અગ્રણીઓ અને મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કરી રાજ પરિવાર પ્રત્યે પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી. શ્રધ્ધાંજલી માટેના નિર્ધારિત સમયથી પહેલા જ માનવ મહેરામણ ઉભરાયો હતો અને પૂ. દાદાને ભારે હૃદયે શ્રધ્ધા સુમન અર્પણ કરી પૂ. દાદાને ભાવાંજલી અર્પણ કરવા સર્વશ્રી મહારાજા સાહેબ એચ.એચ. શ્રી યદુવીર કૃષ્ણદાતા ચામરાજ વાડીયાર ઓફ મૈસુર, રાજા સાહેબ ગજેન્દ્રસિંહજી ખીમસર (રાજસ્થાન) (મંત્રી રાજસ્થાન), શ્રી જયકુમાર રાવલ (ડોંડાઈચા-મહારાષ્ટ્ર અને મંત્રી-મહારાષ્ટ્ર, મહારાજ સિદ્ધરાજસિંહજી ઓફ ધાંગધ્રા, મૂળી, ચુડા, મહારાજકુમાર શિરોહી દૈવતસિંહજી (રાજસ્થાન), ક્રિષ્ણદેવસિંહજી, ધ્રુવકુમારસિંહજી ઓફ ધ્રુવનગર, નામદાર મહારાજાધિરાજ મહારાવ સાહેબશ્રી રઘુવીરસિંહજી ઓફ સિરોહી (રાજસ્થાન), એચ.એચ. જીતેન્દ્રસિંહ ઓફ અલવર(માજી. કોંગ્રેસ યુનિયન મીનીસ્ટર ડીફેન્સ, શ્રી અભિલાષાકુમારી (ચેરપર્સન ગુજરાત હ્યુમન રાઈટસ કમિશન), એચ.એચ. મહારાજા સાહેબશ્રી જ્યોતિન્દ્રસિંહજી અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી ઓફ ગોંડલ, શ્રી નરેશભાઈ પટેલ (ખોડલધામ ચેરમેન), શ્રી રમેશભાઇ પટેલ-પટેલ બ્રાસ વર્કસ પ્રા.લી. ડાયરેકટર, દરબાર સાહેબ સત્યજીતસિંહ ખાચર ઓફ જસદણ, એચ.એચ. મહારાણા શ્રી સિદ્ધરાજસિંહજી ઓફ લુણાવડા, એચ.એચ.નવાબ સલ્લાઉદ્દીનખાન બાબી ઓફ બાલાશિનોર, શ્રી અમિત ચાવડા પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિ, શ્રી આઇ.કે.જાડેજા (અધ્યક્ષ ૫૦ મુદ્દા અમલીકરણ), પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, વાય.એસ. જયવીરરાજસિંહ ગોહિલ ઓફ ભાવનગર, મહારાજ કુમાર છત્રશાલસિંહજી ઓફ નાગોદ, ગીરીબાપુ ગોંડલ, મહારાજ સાહેબ ઓફ સંતરામપુર, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (મંત્રીશ્રી એજયુકેશન, લો એન્ડ જસ્ટીસ) ધનશ્યામ મહારાજ ગોંડલ, નરેન્દ્રભાઇ સોલંકી (આપાગીગાનો ઓટલો), સ્વામીશ્રી (ગુરૂકુળ ગોંડલ રોડ), સદ્દગુરૂ સદન ટ્રસ્ટ, રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, એસ.જી.વી.પી. ગુરૂકુળ-રીબડા, સ્થાનક વાસી જેૈન મોટા સંઘ, જૈનસંઘ, મામાજી ગુરૂજી, કૃપાલુ આશ્રમ મલાવ, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર, આર્ય સમાજ, બેડીનાકા રાણીમાં રૂડીમાં પરિવાર, ભાગવત મીશન ટ્રસ્ટ, જયદ્રથસિંહ પરમાર પ્રધાનશ્રી, હાલોલ, જયદેવસિંહજી પરમાર પ્રવકતા કોંગ્રેસ પાર્ટી, સાગરભાઇ રાયકા પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અર્જુનભાઇ મોઢવાડીયા પુર્વ પ્રમુખ કોંગ્રેસ પક્ષ, રાજેન્દ્રસિંહજી રાણા પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ મંત્રીશ્રી, હકુભા જાડેજા ધારાસભ્યશ્રી જામનગર, શૈલેષભાઇ પરમાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ, દિલીપસિંહજી ગોહિલ પુર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ડો. રણમલભાઇ વારોતરીયા (માજી.મંત્રી), લલિતભાઇ કગથરા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બાવનભાઇ મેતલીયા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ટપુભાઇ લીંબાચીયા પૂર્વ ધારાસભ્ય, જવાહરભાઇચાવડા ધારાસભ્ય, મોહનભાઇ કુંડારીયા, ભૂ.પૂ.કેન્દ્રીય મંત્રીશ્રી, સાંસદ, નવીનચંદ્ર રવાણી (પૂર્વ સાંસદ અમરેલી), કિરીટસિંહજી રાણા પુર્વ પ્રધાનશ્રી, રણજીતસિંહજી ઝાલા માજી મંત્રીશ્રી બાબુભાઇ મેધજીભાઇ શાહ (માજી મંત્રીશ્રી), વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્યશ્રી ભચાઉ, ગોવિંદભાઇ પટેલ ધારાસભ્યશ્રી રાજકોટ, લાખાભાઇ સાગઠીયા ધારાસભ્યશ્રી રાજકોટ રૂરલ, પુષ્પદાનભાઇ ગઢવી (પ્રભારી પૂર્વ સાંસદ), જેૈમનભાઇ ઉપાધ્યાય પૂર્વ મેયર, મીનાબેન આચાર્ય મેયરશ્રી, જનકભાઇ કોટક પૂર્વ મેયર, દર્શિતાબેન શાહ પૂર્વ ડે.મેયર, ભાનુબેન બાબરીયા પૂર્વ મેયર, અશોકભાઇ ડાંગર (પૂર્વ મેયર), ધમેન્દ્રસિંહજી ઝાલા (પુર્વ  મેયર જામનગર), હકુમતસિંહજી જાડેજા (પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત), ડો. ડાયાભાઈ પટેલ (માજી જીલ્લા પ્રમુખ), નીતાબેન આચાર્ય (માજી પ્રમુખ કચ્છ), મહંમદ હુસેન બ્લોચ (માજી મંત્રીશ્રી જામનગર), પ્રતાપસિંહજી ચૌહાણ-વાઈસ ચાન્સલેન્સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નલીનભાઈ વસા-ચેરમેન રાજકોટ નાગરીક બેંક, પ્રદ્યુમનસિંહજી જાડેજા-ડીરેકટર ખેતી બેંક ધ્રોળ, સીટીઝન બેંક તથા હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, પ્રવિણસિંહજી જાડેજા-પ્રમુખ-ક.કા.ગુ.ગ.એસો., નરેન્દ્રસિંહજી ઠાકુર-શિક્ષણ સમિતિ ચેરમેન, વ્હોરા સમાજ, બ્રહ્મસમાજ, ગઢવી સમાજ, પ્રજાપતિ સમાજ, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ દરજી સમાજ, સરદાર પટેલ સોશીયલ ગ્રુપ બેડીપરા, સગર જ્ઞાતિ મંડળ, સમસ્ત લેઉઆ પટેલ સમાજ, રાજકોટ જીમખાના કલબ, ઈત્યાદી તથા રાજકોટ રાજયના ભાયાતો પધારી પૂજ્ય દાદાને એક આદર્શ, શ્રેષ્ઠ રાજવી અને રાજનીતિજ્ઞ જેમને વિનય, વિવેક, વિનમ્રતા અને વિદ્વતાથી ભરપૂર તેવા પ્રજાવત્સલ, ઋષિતૂલ્ય વ્યકિતત્વને અને તેમના પ્રજાકીય અને સામાજિક કાર્યોને બીરદાવ્યા હતા. મુઠી ઉચેરા માનવી માટે અને રાજપરિવાર માટે સમાજની સંવેદનાથી ગદગદીત થયેલા ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી અને યુવરાજ સાહેબ જયદિપસિંહજી તથા રાજપરિવારે પ્રત્યેક વ્યકિત માટે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યકત કરી હતી.

(3:57 pm IST)