Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સત્ય પ્રકાશજીના હસ્તે મોરબીમાં 'ઓશો મનન' -ધ્યાન મંદિરનું ઉદ્દઘાટન

રાજકોટ તા.૧૦: મોરબીના પ્રખર ઉદ્યોગપતિઓ પ્રભુભાઇ જેઠલોજા, હરગોવિંદભાઇ ઝાલરીયા, મનસુખભાઇ ઝાલરીયા તથા ચંદુભાઇ કાલરીયા દ્વારા નિર્મિત ''ઓશો મનન''નું ઉદ્દઘાટન રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા તા.૪-૧૦-૧૮ને ગુરૂવારના રોજ ઓશો સન્યાસી તથા પ્રેમીઓ દ્વારા મોૈન ધ્યાન, ઓશો કિર્તન સાથે ઉત્સવ મનાવી ઉદ્દઘાટન કરેલ.

''ઓશો મનન'' પર દરરોજ નિયમીત ચાલતા ધ્યાન કાર્યક્રમોની રૂપરેખા નિચે પ્રમાણે છે.

દરરોજ નિયમીત સવારના ૮ થી ૧૧ સાંજના ૪ થી ૬ ઓશો કિર્તન, ઓશો પ્રવચન, સંગીત દર રવિવારે વિશેષ ધ્યાન, સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન, સાંજે ૪ થી પ કુંડલીની ધ્યાન, સાંજે ૭ થી ૮-૩૦ ઓશો વ્હાઇટ રોબ બ્રધરહુડ ધ્યાન, તથા ઓશોના મુખ્ય ઉત્સવો જેવા કે ઓશો જન્મદિવસ, ઓશો સંબોધિ દિવસ, ગુરૂપૂર્ણિમા, ઓશો મહાપરિનિર્વાણ દિવસ, બુદ્ધ પૂર્ણિમા, ઓશો સન્યાસ દિવસ, ઓશો સેલીબ્રેશન દિવસ પર ધ્યાનોત્સવ.

વ્યસ્ત જીવનમાં તમામ સાંસારીક કાર્ય કરતા રહીને પણ વ્યકિત પોતાની અંતયાત્રા દ્વારા આધ્યાત્મિક શાંતિ તેમજ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તે માટે પૂર્ણ સ્વતંત્રતાથી પ્રેમમયી જીવન જીવવાની કલા શિખવતી ઓશો ધ્યાન પદ્ધતિ દરેક સાંપ્રદાયના સાધક વર્ગને માટે ખૂબ જ પ્રભાવશાળી છે.સ્થળ : ''ઓશો મનન'', સુપર માર્કેટ સામે, આશાપુરા ટાવર, રાજેશ પાનની બાજુમાં, મોરબી.

નોંધ. ''ઓશો મનન''માં ધ્યાન માટે આવનાર વ્યકિતએ ગર્વમેન્ટ માન્ય આઇ કાર્ડની ઝેરોક્ષ લાવવી અત્યંત જરૂરી છે.

વિશેષ માહિતી માટેઃ પ્રભુભાઇ પટેલ : ૯૮૨૫૮ ૨૮૭૩૩, ચંદુભાઇ કાલરીયા : ૯૮૨૫૨ ૩૦૬૧૪, હરગોવિંદભાઇ ઝાલરીયા : ૯૮૭૯૧ ૨૫૨૨૫, મનસુખભાઇ ઝાલરીયા : ૯૮૨૫૪ ૧૨૫૬૧નો સંપર્ક થઇ શકે છે. (૧.૨૨)

(3:44 pm IST)