Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભગવતીપરાના મુઝઝફર કુરેશીને પૈસાની લેતીદેતીમાં મિત્ર અનવર મારફાણીની ધમકી

રાજકોટ તા. ૧૦: ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે દાતાર ચોકમાં રહેતાં મુઝઝફર મકસુદભાઇ કુરેશી (ઉ.૨૧)ને ઘર નજીક હતો ત્યારે રૈયા રોડ કનૈયા ચોક અંદર શોૈચાલય પાસે રહેતાં અનવર ગનીભાઇ મારફાણીએ ઝઘડો કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

મુઝઝફરે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પોણા બે મહિના પહેલા મિત્ર અનવરને પૈસાની જરૂર હોઇ પણ તેને હવે કોઇ તરફથી પૈસા મળે તેમ ન હોઇ તેના બદલે પોતે અનવરના જ એક મિત્ર પાસે ગયો હતો અને રૂ. ૩૫ હજાર લઇ અનવરને આપ્યા હતાં. આ લેતીદેતીમાં અનવર પોતે જામીન પડ્યો હતો અને એક મહિનામાં રકમ આપવાની હતી. પણ હાલમાં પોતાની આર્થિક હાલત સારી ન હોઇ પોતે રકમ આપી ન શકતાં અનવરે આવી તું પૈસા નહિ આપ તો જીવતો નહિ રહેવા દઉ તેવી ધમકી આપી હતી. સતત હેરાનગતિને લીધે ૧૭/૯ના રોજ પોતે ભગવતીપરા રોડ પર દવા પી ગયો હતો અને હોસ્પિટલમાં દાખલ થયો હતો. ૨૭/૯ના રજા આપતાં હવે ફરિયાદ કરી છે.

(3:31 pm IST)