Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

દેશદેવી માં આશાપુરા પદયાત્રી ગ્રુપ દ્વારા રાજકોટથી માતાના મઢ કચ્છ સુધી પદયાત્રા : ૨૧ મીએ પ્રસ્થાન

રાજકોટ તા. ૧૦ : દર વર્ષની જેમ આ વર્ષે પણ 'શ્રી દેશદેવી માં આશાપુરા પદયાત્રી ગ્રુપ' દ્વારા રાજકોટથી માતાના મઢ કચ્છ સુધી પદયાત્રાનું આયોજન કરાયુ છે.

તા. ૨૧ ના ભાદરવા વદ ૭ ને શનિવારે સવારે ૭ વાગ્યે ધનેશ્વર મહાદેવ મંદિર, માર્કેટીંગ યાર્ડ પાસે, આર.ટી.ઓ. ઓફીસની બાજુમાં, આર.એમ.સી. કવાટર્સ પાસે, રાજકોટ ખાતેથી પદયાત્રાને પ્રસ્થાન અપાશે.

આ માટેની નામ નોંધણી ચાલુ થઇ ચુકી છે. નામ નોંધાવવા જય ગુરૂદેવ સીટ કવર, પેડક રોડ, માર્કેટીંગ યાર્ડ સામે, બગીચા પાસે, અંકુર પાનની બાજુમાં ખુશાલભાઇ ચાવડા મો.૭૯૮૪૧ ૪૩૦૬૩ નો તેમજ વધુ માહીતી માટે ચંદનગીરી ડી. ગોસ્વામી (ચંદુભાઇ) મો.૯૭૨૩૨ ૯૦૭૯૦, જયેશભાઇ કેશરીયા મો.૯૨૨૭૮ ૦૦૦૦૨ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:36 pm IST)