Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પૂ. ધીરગુરૂદેવના સાંનિધ્યે સુશ્રાવક ડુંગરશીભાઇ વોરાના આજીવન સંથારાની પાલખીયાત્રા નિકળી

રાજકોટઃ તા.૧૦, મુંબઇમાં વસતા કચ્છ નવીનારના વતની અને અમરસન્સ (બાંદરા-પુના)ના માલીક સુશ્રાવક શ્રી ડુંગરશીભાઇ ટોકરશી વોરાએ સંવત્સરીના દિનથી આજીવન અનશન વ્રતનો પ્રારંભ કરતા તપ-ત્યાગમય વાતાવરણ સર્જાયું હતુ.

 તા.૮ના સવારે ૭.૪૫ કલાકે પરમ ઉપકારી પુ. ગુરૂદેવશ્રી ધીરજમૂનિ મ.સા.ના પાવન પગલા થયા બાદ સવારે ૮:૧૬ કલાકે સાતમા દિવસે સમાધિભાવે ચાર શરણા શ્રવણ કરતાં સંથારો સીજી ગયો બાદ અંતિમ નિર્યામણા વિધિ પાલખી દર્શનાર્થે રાખેલ. શામજીભાઇ વોરા,  ઝવેરબેન, મનીષ ખીલતી, જૈનમ, ક્રિશા તેમજ પ્રફુલ, જયોતિ વગેરેએ સ્વસ્તિક વિધિ કરેલ. બપોરે ૩-૨૪ કલાકે માંગલીક બાદ જય જય નંદા, જય જય ભદ્રાના જયનાદે બ્રીચકેન્ડીથી મરીન લાઇન્સ સુધી ખભા ઉપર પાલખી ધારણ કરેલ. વિશાળ સંખ્યામાં ભાવિકો અંત્યેષ્ઠિ વિધિમાં જોડાયા હતા.

(3:31 pm IST)