Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ચંપકનગર ગણેશોત્સવઃ આજે સાંજે નરેશભાઈ પટેલના હસ્તે આરતી

રાજકોટઃ શહેરના ઉપલાકાંઠે આયોજીત ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવમાં આજે મંગળવારે ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલ સાંજે ૭ વાગ્યે ચંપકનગર ગણપતિ દાદાના દર્શનનો લાભ લેશે. ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવેલ હતી. મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાશક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શિક્ષણ સમીતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ ચેરમેન મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર સજુબેન રબારીએ પણ ગણપતિ દાદાના દર્શનનો લાભ લીધો હતો.

(3:29 pm IST)