Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કપાસમાં દવા છાંટતા ઝેરી અસરઃ કાલાવડ વડાળામાં રાજુ ભુરીયાનું મોત

રાજકોટ તા. ૧૦: કાલાવડના વડાળા ગામે માધાભાઇ રણછોડભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં આદિવાસી યુવાન રાજુ નકાભાઇ ભુરીયા (ઉ.૨૦)ને તા. ૬ના રોજ વાડીએ કપાસમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતક ચાર બહેન અને ત્રણ ભાઇમાં નાનો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને યુવરાજસિંહે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(1:09 pm IST)