Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

નર્મદાનીર બંધ થતાં સર્જાયેલા પાણીના ધાંધિયા તંત્રમાં દોડધામઃ પાનીએ તાત્‍કાલીક પમ્‍પિગ શરૂ કરાવ્‍યું

ગઇકાલે પાણી પુરવઠા બોર્ડ નર્મદા કેનાલ બંધ કરી દેતા અર્ધા રાજકોટમાં પાણીનો દેકારો બોલી ગયેલ : મ્‍યુ કમીશનરે ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી પાણી શરૂ કરાવતા વિતરણમાં રાહત

રાજકોટ, તા.૧૦: ગઇકાલે નર્મદાનીર બંધ થતાં અર્ધા રાજયોના પાણીના ધાંધિયા સર્જાયા. લોકોના દબરો દેકારો બોલી ગયો હતો  દરમ્‍યાન મ્‍યુ. કમિશ્‍નર બંછા નિધી પાનીએ ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી નર્મદાનીર શરૂ કરાવતાં આજથી પાણી વિતરણમાં રાહત હતી.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ      ગુજરાત સરકારશ્રીની કંપની જી.ડબલ્‍યુ.એસ.એસ.બી. અને જી.ડબલ્‍યુ.આઈ.એલ. દ્વારા રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ફઘ્‍ ૩૨, ૩૩, ૩૪ પાઈપલાઈન મારફત નિયમિત રીતે નર્મદાના નીર પહોંચાડવા આવી રહયા છે. જોકે આ પાઈપલાઈન નેટવર્ક પર કેટલાક આવશ્‍યક મેઇન્‍ટેનન્‍સના લીધે તા.૭થી૧૧ની મધ્‍ય રાત્રી સુધી એટલે કે પાંચ દિવસ સુધી પાણી બંધ રહેવાનું હતું પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણીથી વંચિત ન રહેવું પડે તેવા હેતુથી GWSSB અને GWIL સાથે સંકલન કરી પાઈપલાઈનને બદલે માળીયા કેનાલમાંથી પાણી મળી રહે તેવી વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરાવતા રાજકોટના જે વિવિધ વિસ્‍તારોમાં બંધ રાખવું પડે એમ હતું ત્‍યાં વિના અવરોધ પાણી વિતરણ થઇ શક્‍યું છે, તેમ મ્‍યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્‍યું હતું.

જેમકે રાજકોટને NC ૩૨, ૩૩, ૩૪ માંથી પાણી મળતું હતું પરંતુ જી.ડબલ્‍યુ.એસ.એસ.બી. અને જી.ડબલ્‍યુ.આઈ.એલ. દ્વારા પાંચ દિવસ માટે મેઇન્‍ટેનન્‍સના ઇસ્‍યુને લીધે પાની છોડવાનું બંધ રાખ્‍યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ બાબતGWIL સાથે તુરંત સંકલન કરી તાત્‍કાલિક અસરથી માળિયા કેનાલ ચાલુ કરાવવા ઉપરાંત હીરાપર પાસે બંધ પડેલું પમ્‍પિંગ સ્‍ટેશન પણ તાકિદની અસરથી ચાલુ કરાવતા નર્મદાના પાણીની વ્‍યવસ્‍થા થઇ શકી હતી. અલબત્ત રાજકોટને ફઘ્‍ ૩૨, ૩૩, ૩૪ માંથી રોજ ૧૦૫ એમ.એલ.ડી. જળ જથ્‍થો મળતો હતો તેની સાપેક્ષમાં માળીયા કેનાલમાંથી થોડું ઓછું પાણી મળ્‍યું છે પરંતુ મહાનગરપાલિકાએ બાકીનો દ્યટતો જળ જથ્‍થો એક્‍સપ્રેસ ફીડર લાઈનમાંથી ટ્રાન્‍સફર કરી કોઠારિયા, રૈયાધાર, બેડી ઝોન, રેલનગર, બજરંગવાડી, ગ્રીનલેન્‍ડ અને ચંદ્રેશનગરના વિસ્‍તારોમાં કોઇપણ પ્રકારના શટડાઉન વગર પાની વિતરણ યથાવત જાળવી રાખવામાં સફળતા મેળવી છે, તેમ મ્‍યુનિ. પણ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

(5:47 pm IST)