Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પ્રહલાદ પ્‍લોટ મૂર્તિપુજક જૈન સંઘમાં માતા ત્રિશલાના સ્‍વપ્‍નાનું અવતરણ

પાણીમાં રંગોળી તથા સેંકડો દિવાઓનો શણગાર

રાજકોટ,તા.૧૦: શ્રી મહાવીર જન્‍મ વાંચનના દિવસે શ્રી પ્રહલાદ પ્‍લોટ શ્વેતાંબર મૂર્તીપૂજક જૈન તપગચ્‍છ સંઘમાં શ્રી પ્રહલાદ પ્‍લોટ યુવક મંડળ દ્વારા આયોજીત, ત્રીશલા માતાને આવેલા ૧૪ સ્‍વપ્‍નોનું દેવકલોમાંથી અવતરણ દર્શાવતી અલૌકિક રચના તથા પાણીમાં રંગોળી, જગમગતા દિવડાઓ અને હાલના આધુનિક યુગની ઝાંખી કરાવતી એક નવીન/ સ્‍ટેટસ દર્શાવતી રચનાનું આયોજન કરેલ છે. જેના દર્શનનો લાભ લેવા દરેક શ્રાવક- શ્રાવીકાઓને શ્રી પ્રહલાદ પ્‍લોટ સંઘ તથા શ્રી પ્‍લોટ યુવક મંડળ ભાવભર્યું આમંત્રણ પાઠવ્‍યું છે.

(5:19 pm IST)