Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાવલ પરિવાર દ્વારા ઇશ્વરીયા મહાદેવ મંદીરના સાનિધ્યમાં મહારૂદ્રી-બ્રહ્મભોજનઃ આગેવાનોએ લાભ લીધો

રાજકોટઃ ગઇકાલે અમાસના રોજ માધાપર ખાતે શ્રી પંકજભાઇ પ્રદિપભાઇ રાવલ મો.૯૮૨૫૪ ૨૪૪૨૭ તથા મયુરભાઇ પ્રદીપભાઇ રાવલ દ્વારા ઇશ્વરીયા મહાદેવના સાનિધ્યમાં મહારૂદ્રી અભીષેક, બ્રહ્મભોજન તેમજ ગ્રુપ સર્કલ માટે ભોજન સમારંભનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ હતું રાવલ પરિવારના આમત્રંણને માન  આપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી (પ્રમુખ મહિલા મોરચો), શ્રી મોહનભાઇ કુંડારીયા (સાંસદ), શ્રી અભયભાઇ ભારદ્વાજ (લોકમીશન ઓફ ઇન્ડિયા મેમ્બર), શ્રી નિતીનભાઇ ભારદ્વાજ  (પ્રદેશ ભાજપ અગ્રણી), શ્રીમતી બીનાબેન આચાર્ય (મેયર), શ્રી કમલેશભાઇ મીરાણી (પ્રમુખ રાજકોટ ભાજપ શહેર), શ્રી અશ્વીનભાઇ મોલીયા (ડે.મેયર) , શ્રી ઘોઘુભા જાડેજા (પુર્વ પ્રમુખ તા.પ. રાજકોટ) શ્રી દેવાંગભાઇ માંકડ (મહામંત્રી રાજકોટ શહેર ભાજપ), શ્રી પરેશભાઇ ઠાકર (એડવોકેટ), શ્રી જીતુભાઇ મહેતા (ભાજપ અગ્રણી) તેમજ રાજકોટના નામી અનામી ડોકટરો એડવોકેટશ્રીઓ બીલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. આ ધાર્મિકકાર્ય આશરે ૨૦ વર્ષથી સ્વ. ડો. પ્રદિપભાઇ રાવલ દ્વારા શરૂ કરવામાં આવેલ. જે અવિરત રાવલ પરિવાર દ્વારા ચાલુ છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ૪૦૦ થી ૫૦૦ બ્રહ્મદેવ તેમજ રૂદ્રી નારાયણ અંધ અપંગ તેમજ રાવલ પરિવારના સગા સંબધી અને મીત્ર વર્તુળોએ પ્રસાદ લીધેલ હતો

(5:09 pm IST)