Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટને પાણી સમસ્‍યામાંથી ઉગારવા સરકારનો પ્રજાલક્ષી નિર્ણય : દિપક મદલાણી

રાજકોટ તા.૧૦ : આજી ડેમને નર્મદાના નીરથી ભરી પાણી કાપની લોકોની ચિંતાનો છેદ ઉડાડી સરકારે પ્રજાલક્ષી નિર્ણય લીધાનું જિલ્લા વેપાર ઉદ્યોગ સેલના કન્‍વીનર દિપક મદલાણીએ જણાવેલ છે.લોકહિતના કાર્યોને અગ્રતા આપવાની ભાજપની પ્રણાલી રહી છે. સૌની યોજના થકી ગામડા સુધી નર્મદાના નીર પહોંચતા કરવાનું ભગીરથ કાર્ય આ સરકારે સાકાર કર્યુ છે.આ વર્ષે ચોમાસુ નબળુ પડતા રાજકોટ ઉપર પાણી સમસ્‍યાના વાળદો ઘેરાયા હતા. પરંતુ વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે નર્મદાના નીર પહોંચતા કરી ચિંતાના વાદળો વિેખરી નાખ્‍યા હોવાની ખુશી અંતમાં દિપક મદલાણીએ વ્‍યકત કરી છે.

(4:27 pm IST)