Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મીલપરામાં બીરાજશે 'મીલપરા કા મહારાજા'

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજનઃ વોટર પ્રુફ વિશાળ સમીયાણો તૈયાર

રાજકોટ, તા. ૧૦ :. પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૩ થી ૨૩ સુધી મીલપરા મેઈન રોડ, લક્ષ્મીવાડી ૯/અ, પ્રગટ હનુમાનજી મંદિર ખાતે 'મીલપરા કા મહારાજા' સાર્વજનીક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

મહોત્સવમાં દરરોજ સવારે ૭ કલાકે પૂજા તથા દરરોજ રાત્રે ૮.૩૦ કલાકે નામાંકિત આગેવાનો, મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતીમાં પધારેલા સર્વે ભકતોને મહાપ્રસાદ આપવામાં આવશે. તેમજ રાત્રીના ધૂન, ભજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.

સંસ્થા દ્વારા ૨૦ બાય ૨૦ની જગ્યા ઉપર વિશાળ સ્ટેજ તથા મહાપ્રસાદ માટે ૭૫ બાય ૨૦નો વોટર પ્રુફ સમીયાણો બનાવવામાં આવેલ છે. સેવા કાર્યમાં સંસ્થાના કશ્યપભાઈ ભટ્ટ, દેવાંગભાઈ ભટ્ટ, ચિંતનભાઈ રાચ્છ, પાર્થભાઈ દવે, નરેન્દ્રભાઈ ડોડીયા, કિશનભાઈ સુચક, ગુલાબભાઈ સાબરીયા, પંકજભાઈ વ્યાસ, બકુલભાઈ સરવૈયા, કેતનભાઈ ડોડીયા, બ્રિજેશભાઈ બુદ્ધદેવ, દેવશીભાઈ વાડોલીયા, પરસોતમભાઈ વસાણી તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યાનું સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ એસ. ભટ્ટ (મો. ૯૯૨૫૦ ૧૭૮૮૮)ની યાદીમાં જણાવાયુ છે.

(4:22 pm IST)