Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ડો.સૈયદના સાહેબ ઈન્દોરમાં : પ્રવચન

તા.૧૨ થી ૨૦ સુધી સૈફી મસ્જીદમાં વિતેલી ઘટનાઓ ઉપર બયાન ફરમાવશે : રાજકોટમાં પણ વાઅઝના કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૦ : દાઉદી વ્હોરા સમાજના હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના આલી કદર મુફદ્દલભાઈ સાહેબ સૈફુદ્દીન (ત.ઉ.શ.) હાલમા ઈન્દોર (એમ.પી.) મુકામે બિરાજમાન છે.

આવતીકાલથી ૧૪૪૦નું નવુ વર્ષ ચાલુ થાય છે. જે સમગ્ર દુનિયાના દાઉદી વ્હોરા સમાજના લોકો એકબીજાને પહેલી તારીખની મુબારક બાદી આપશે.

તા.૧૨ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી ઈન્દોરની સૈફી મસ્જીદમાં સૈયદના સાહેબ ઈમામ હુસૈન (અ.સ.)ની વિતેલી ઘટના ઉપર બયાન ફરમાવશે.

રાજકોટમાં પણ અલગ અલગ એરીયામાં વાઅઝ થશે.

સૈયદના સાહેબની દુઆ અને ફરમાનથી રાજકોટની નુર મસ્જીદની સુરતથી આવેલ શેખ અલી જરમાં, એકજાન હોલમાં શેખ શબ્બીર પાટણવાળા કુત્બી મસ્જીદમાં શેખ અબ્દુલ કાદીર વાઅઝ ફરમાવશે. બીજા વિસ્તારો જેમ કે ખાતપરા, મુફદ્દલ હોલ, ઝકવી મોહલ્લામાં વાઅઝ થશે. એમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડ્સવાળાએ જણાવ્યુ છે.

(4:19 pm IST)