Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી તરીકે શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી

 જુનાગઢ તા ૧૦ : વડતાલ ટેમ્પલ બોર્ડના આદેશ મુજબ રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ શાસ્ત્રી રાધારમણદાસજી ની નિમણુંક કરવામાં મુખ્ય મંદિરના મુખ્ય કોઠારી શાસ્ત્રી હશિવલ્લભદાસજી આવતા તેઓએ કોઠારી તરીકે વિધીવત (હરીદ્વાર) વાળાની કોઠારી તરીકે અઢીવર્ષ ચાર્જ સંભાળ્યો હતો. પૂર્ણ થતા તેઓના સ્થાને નવા કોઠારી  તરીકે શાસ્ત્રી રાધારમણદાસજી જામનોધપુર સ્વામીનારાયણ મંદિરના મહંત છે તેમજ સત્સંગ વિકાસ પરિષદ જુનાગઢ પ્રદેશના અધ્યક્ષ છે.

શાસ્ત્રી રાધારમણદાસજી એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ગુરૂજી ભગવતચરણ સ્વામી એ નાની ઉંમરે ખુબજ મોટી જવાબદારી શિર પર મૂકી અક્ષરધામ પધાર્યા છે ત્યારે તેઓના આશિર્વાદ થી અને સંતોની લાગણીથી આ મંદિરના  મુખ્ય કોઠારી તરીકે મારી નીમણુંક થઇ તે જીંદગીનો અમુલ્ય લ્હાવો કહેવાય તેઓ લેખક, કથાકાર તત્વચિંતક પણ છે.

એઓએ વધુમાં જણાવ્યું હતુ કે મારા પૂર્વ મુખ્ય કોઠારીના કાર્યકાળમાં વિવિધ બાંધકામો તેમજ ગેટ નિર્માણ સહિત મંદિરના વિકાસ કામો કરવામાં આવેલ, હું પણ આ વિકાસ યાત્રા આગળ ધપાવીશ. મંદિરના સત્સંગના અને સંપ્રદાયના વિકાસ માટે અમર્પિત થઇ સંપૂર્ણ યોગદાન આપવાનું તેઓએ અભય વચન આપ્યું હતું અને સોૈ સંતો હરિભકતોને સાથ સહકાર આપવા વિનંતી કરી હતી.

(4:00 pm IST)