Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા કેરળ પુરરાહત ફંડમાં સહાય અર્પણ

 રાજકોટઃ તાજેતરમાં ભારતના સૌથી રળિયામણા રાજય કેરળમાં થયેલ અતિવૃષ્ટિ અને પાણીના ભારે પુર જેવી કુદરતી આફતથી પીડિત લોકોને માનવતાના ધોરણે સહાયરૂપ થવા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનાં સંસ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઇ જાનીની પ્રેરણાથી સંસ્થાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કર્મચારીઓના આર્થિક યોગદાનથી એકત્ર કરવામાં આવેલ રૂપિયા સીતેર હજારનો ચેક કેરળના પુરપીડિતોને સહાય માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના  અધ્યક્ષ પૂજય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજને શાળાના પ્રતિનિધિ વિદ્યાર્થીઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ. સ્વામીજીએ ચેકનો સ્વીકાર કરી શાળાનાં વિદ્યાર્થીઓને આ સેવાકીય પ્રવૃતિ કરવા બદલ અભિનંદન પાઠવેલ તે પ્રસંગની તસ્વીર.

(9:28 am IST)