Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

યુનિટી ઓફ લોયર્સ દ્વારા તિરંગા યાત્રા યોજાશેઅને વકીલોને વિનામુલ્‍યે તિરંગાનું વિતરણ કરાશે

રાજકોટ તા. ૧૦ :.. યુનિટી ઓફ લોયર્સ દ્વારા તા. ૧ર-૮ ને શુક્રવારના રોજ ભારત દેશમાં હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રાના અનુસંધાને વકિલોને તિરંગા યાત્રામાં જોડાવવા તથા હર ઘર ઉપર તિરંગા લગાડવા માટે દરેક વકીલોને વિના મુલ્‍યે તિરંગા વિતરણ કરવામાં આવશે તેમ યુનિટી ઓફ લોયર્સના રાજેન્‍દ્રસિંહ ગોહીલ, યોગેશ ઉદાણી, હેમાંગ જાની ધીમંત જોષી અને ધર્મેશ સખીયા દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

૧પ મી ઓગસ્‍ટના હર ઘર તિરંગાના રાષ્‍ટ્રીય કાર્યક્રમ અનુસંધાનમાં સવારના ૧ર વાગ્‍યે રાજકોટ ફોજદારી કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં આ ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં રાજકોટના મેયરશ્રી પ્રદિપભાઇ ડવ બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દિલીપભાઇ પટેલ રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી, રાજકોટલીગલ સેલના કન્‍વીનર અંશભાઇ ભારદ્વાજ સી. એચ. પટેલ, હિતેષભાઇ દવે તેમજ રેવન્‍યુ બારના પ્રમુખ રમેશભાઇ કથીરીયા નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ કલેઇમ બારના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, ડીસ્‍ટ્રીક બારના પ્રમુખ એન. આર. જાડેજા ડી. ડી. પરમાર સહિતના મહાનુભાવોના હસ્‍તે તિરંગા અર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમલ ગોહેલ, હરદિપસિંહ રાણા, અભય ખખ્‍ખર, સુમીત વોરા, રાજકોટ બાર એસો.ના ઇન્‍ચાર્જ પ્રમુખ સિધ્‍ધરાજસિંહ જાડેજા, કે. સી. ભટ્ટ, બાલાભાઇ એફાતરા, વી. ડી. રાઠોડ, ડી. સી. પરમાર, દિગુભા ઝાલા, હનીફ કટારીયા, કિશન વાગડીયા,  નંદકિશોર પાનોલા, ચીમન સાકરીયા, અજય પીપળીયા, નૈમીષ પટેલ સહિતના વકીલો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તૈયારી થઇ રહેલ છે.

(4:05 pm IST)