Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

બાર જયોતિર્લીંગ દર્શન

રાજકોટઃ શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ અયોધ્‍યા ચોક રાધા પાર્ક-૧માં આવેલ સુપ્રસિધ્‍ધ એવા શ્રી શિવ સાંઈ ધામ મંદિરે  શ્રાવણ માસના બીજા સોમવારે બરફના બાર જયોર્તિર્લીંગ દર્શન રાખવામાં આવેલ. જેનો સેંકડોની સંખ્‍યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. નિજ મંદિરે સવાર- સાંજ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. તેમ શ્રી વિનોદ મહારાજ (મો.૯૯૭૯૧ ૦૫૧૧૪)એ જણાવ્‍યું છે.

(3:23 pm IST)