Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે 'ઓમ ધ્યાન' તથા 'સૂફિ ધ્યાન' : શિવ પર પ્રવચન

રાજકોટ તા. ૧૦ : ઓશોના સૂત્ર ઉત્સવ અમાર જાતી આનંદ અમાર ગોત્રને સાર્થક કરવા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવોની ઉજવણીથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર સતત ધમધમતુ રહે છે. ત્યારે આગામી તા. ૧૨ ના શ્રાવણ માસના સોમવાર અને ઇદના તહેવાર નિમિતે સાંજે ૬.૩૦ થી ૮ ઓશોનું ઁ ધ્યાન તથા સૂફિ ધ્યાન, સંધ્યા ધ્યાનનું આયોજન કરાયુ છે. સાથે શિવ પર પ્રવચન રાખેલ છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ડી-માર્ટની પાછળની શેરી, ૪-વૈદવાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમોમાં ઓશો સન્યાસી તથા પ્રેમીઓએ પધારવા ઓશો ઇનર સર્કલ દ્વારા અનુરોધ કરાયો છે. વિશેષ માહીતી માટે સ્વામિ સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ અને સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:44 pm IST)