Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલમાં ઉત્તરપ્રદેશના દશરથ ચૌહાણનું વિનામુલ્યે સફળ ઓપરેશન

ડ્રાઇવીંગ કામ કરતાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, વાલ્વની બિમારી હતી

રાજકોટઃ ' દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.  શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના , માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

  આવા જ એક દર્દી ગુડુ દશરથ ચૌહાણ (ઉમર ૪૨ વર્ષ રહેવાસી ગામ : - સુર્યપુરા, તાઃ- બાંસડી જી બલિયા ઉત્તરપ્રદેશ)નું  વતની નિદાન માટે આવેલ હતું.   દર્દીના કુટુંબ માં કુલ ૬ વ્યકિત છે. દર્દી ડ્રાઈવિંગ નું કામ કરે છે. દર્દીના પિતા ખેતમજુરી કરે છે. કુટુંબ ની માસિક આવક આશરે ૧૪,૦૦૦ રૂ. જેટલી છે. દર્દીને હ્રદયરોગની તકલીફ છેલ્લા ૪ વર્ષથી હતી આ દર્દીના સગા રાજકોટ રહેતા હોવાથી  તેઓને નિદાન માટે બોલાવ્યા હતા.  આ દર્દીની સંપૂણ તપાસમાં નિદાન થયું કે દર્દીને પેટમાં ,પગમાં અને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.દર્દીને શ્વાશ લેવામાં  ખુબજ તકલીફ પડતી હતી. હદયના ધબકારા પણ અનિયમિત રહેતા હતા. દર્દીને વાલ્વની બીમાર હતી અને હદયનીડાબી સાઈડની ચેમ્બરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. આથી આ દર્દીને  દાખલ કરી તેમનું હદયનો વાલ્વ બદલવાનું ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું અને દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ  રજા આપવામાં આવી હતી.

(1:04 pm IST)