Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સિવિલના કોવિડ-૧૯ વિભાગમાં ગાયત્રીનગરના ૬૫ વર્ષના વૃધ્ધાનું મોતઃ રિપોર્ટ આવવાનો બાકી

સોનોગ્રાફી વિભાગના મહિલા પ્યુનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જો કે આ દર્દીનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષના વૃધ્ધા પુષ્પાબેનને કોરોનાની શંકા સાથે અહિ દાખલ કરવામાં આવ્યા હતાં: જેણે દમ તોડી દીધો છેઃ વધુ માહિતી મુજબ સિવિલના ટ્રોમા કેર સેન્ટરમાં આવેલા સોનોગ્રાફી વિભાગમાં પ્યુન તરીકે ફરજ બજાવતાં મેરજાબેન નામના પચાસ વર્ષિય મહિલાનો કોરોના પોઝિટિવ આવતાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારના આઠથી બપોરના બે સુધીમાં કોવિડ-૧૯માં ૭૧ ઓપીડી કેસ તપાસાયા હતાં. જેમાંથી ૮ને શંકા જણાતા દાખલ કરી તેના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે.

(3:36 pm IST)