Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સાત માસના દિકરાના કજીયાને કારણે દંપતિ વચ્ચે કંકાસઃ પત્નિએ ફાંસો ખાઇ દુનિયા છોડી

ભાવનગર રોડ મનહર સોસાયટીમાં બનાવઃ રાત્રે ઉપરના રૂમમાંથી કોઇપણ સમયે પત્નિ કોમલ નીચે આવી ગઇ અને પગલુ ભર્યુઃ સવારે પતિ ધનરાજે આવીને જોતાં લટકતી દેખાઇઃ કોળી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૦: ભાવનગર રોડ પર મનહર સોસાયટી-૧માં રહેતી કોમલબેન ધનરાજ સોમાણી (ઉ.વ.૨૧) નામની કોળી પરિણિતાએ ઘરના નીચેના રૂમમાં પંખાના પાઇપમાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને કારણે સાત જ મહિનાનો પુત્ર મા વિહોણો થઇ ગયો છે.

ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ કોમલબેન રાત્રે પતિ અને સાત માસના પુત્ર સાથે ઉપરના રૂમમાં સુતી હતી. સવારે પતિ ધનરાજ જાગ્યો ત્યારે પત્નિ જોવા ન મળતાં નીચેના રૂમમાં તપાસ કરવા જતાં તે લટકતી દેખાતા હતપ્રભ થઇ ગયો હતો. બનાવને પગલે કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર કોમલબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. સાત માસનો પુત્ર કજીયા કરતો હોઇ તે બાબતે રાત્રે પતિ-પત્નિ વચ્ચે કલેશ થયો હતો. આ કારણે માઠુ લાગી જતાં કોમલબેને પગલુ ભર્યાની શકયતા છે. બનાવથી નવજાત પુત્ર મા વગરનો થઇ જતાં ગમગીની છવાઇ ગઇ છે. મત્કનો પતિ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

(2:41 pm IST)