Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગુજરાતમાં સુવિધા વગરની ૧૩ બી.એડ્. કોલેજોની માન્યતા રદ્દ કરતી એનસીટીઈ

રાજકોટ, તા. ૯ :. નેશનલ કાઉન્સીલ ફોર ટીચીંગ એજ્યુકેશનને સુવિધા વગરની બી.એડ્. કોલેજ સામે લાલ આંખ કરી છે.

બી.એડ્.નો અભ્યાસક્રમ ચલાવતી કોલેજોમાં લાયકાત વગરના શિક્ષકો અને સુવિધાનો અભાવ હોવાની તપાસ દરમિયાન બહાર આવતા એનસીટીઈ દ્વારા ગુજરાત રાજ્યની ૧૩ કોલેજોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષકોને શિક્ષિત કરતી બી.એડ્. કોલેજોમાં કોલેજના બિલ્ડીંગના દસ્તાવેજો રજુ ન કરતા એનસીટીઈ એ ૧૩ બી.એડ્. કોલેજોની માન્યતા રદ કરી છે.(૨-૩૬)

(4:40 pm IST)