Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગૌ સેવા વિષે વિચાર વિમર્શ

ભારત સરકાર દ્વારા આ વર્ષ થી કામધેનું ગૌમાતાની સેવા, સંવર્ધન, સંરક્ષણ અને ઉપયોગીતા માટે રાષ્ટ્રીય કામધેનું આયોગની રચના કરાઇ છે, જેના અધ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાની નિમણુંક કરાઇ છે ત્યારે પ્રખર ભાગવતાચાર્ય, અનન્ય ગૌ સેવક અને પોરબંદર સાંદિપની આશ્રમનાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સાથે તાજેતરમાં ડો. વલ્લભભાઇ કથીરીયાએ ગૌ સેવા વિષયક વિચાર વિમર્શ કર્યા હતા. પૂ. ભાઇશ્રીને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કામધેનુ ગૌ માતા અંગેની પ્રતિબધ્ધતા, વિઝન અને મિશન અંગે માહીતગાર કર્યા હતા.

(4:23 pm IST)