Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ માટે ૧૬ અધિકારીઓને જવાબદારી

એસ.જે.પંડિત, સુરતલકુમાર, પુરાણી, છત્રપતિ, મેંદપરા, બિસ્ટ વગેરે હાજર રહેશે

રાજકોટ તા. ૧૦ :.. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૩ થી ૧પ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. રાજકોટ જિલ્લા માટે વિવિધ વિભાગના ૧૬ અધિકારીઓને વિદ્યાર્થીઓના નામાંકન સમયે ઉપસ્થિત રહેવા જવાબદારી સોંપવામાં આવી છે.

વન વિભાગના એસ. જે. પંડિત, સુરતલકુમાર બેરવાલ, શિક્ષણ વિભાગના સચિવાલય કેડરના વી. એસ. પુરાણી, આર. એમ. છત્રપતી, બી. પી. મેંદરપરા, શ્રમ વિભાગના જે. કે. શાહ, રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા, શિક્ષણના સંયુકત સચિવ બી. પી. ચૌહાણ, આઇ. પી. એસ. કેડરના ટી. એસ. બિસ્ટ, અજયકુમાર ચૌધરી, સ્થાનીક અધિકારીએ બી. કે. પંડયા, ગૌરાંગ મકવાણા, અનિલકુમાર રાણાવાસિયા, ઓમપ્રકાશ, રવિ મોહન સેની., મનોહરસિંહ જાડેજા વગેરેનો સમાવેશ થાય છે.

(4:21 pm IST)