Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જેતપુરના મંડલીકપુરમાં વીજ પોલ પરથી પડી જતા દિનેશભાઇનું રાજકોટમાં મોત

માનસીક બીમારી યુવાન થાંભલા પર ચડી ગયોઃ કરંટ લાગતા પટકાયો

રાજકોટ તા. ૧૦: જેતપુરના મંડલીકપુરમાં દારૂના નશામાં યુવાન વિજ પોલ પર ચડી ગયા બાદ નીચે પટકાતા ઇજા થતા તેનું રાજકોટની સ્‍વિલ હોસ્‍પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મંડલીકપુર ગામમાં રહેતા દિનેશભાઇ જીકાભાઇ ડંડોળીયા (ઉ.વ.૪પ) ત્રણ દિવસ પહેલા રાત્રે નશામાં ચુર બની ઘર પાસે આવેલા વિજ થાંભલા પર ચડી ગયા હતા તે જોઇને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તે અચાનક થાંભલા પરથી પટકાતા તેને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં ગઇકાલે તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ અંગે જેતપુર તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:33 pm IST)