Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કાલે જિન શાસનનો રપ૭૮મો સ્‍થાપના દિવસ : ગણધર ભગવંતોનો દીક્ષા દિવસ

વિશ્વભરમાં ધર્મોલ્લાસભેર જિન શાસન સ્‍થાપના દિવસ ઉજવાશે

રાજકોટ : જૈન દશૅનમાં જે જે તીર્થકરો થાય છે તે નવું તીથૅ ઊભું નથી કરતાં પણ માત્ર તીથૅનો પુનરુધ્‍ધાર કરે છે.પ્રભુ મહાવીર પણ અનંતા તીર્થકરોની પરંપરાને અનુસર્યા.

જૈન આગમ શ્રી સૂયગડાંગ સૂત્ર કહે છે કે જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીર્થકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીર્થકર પ્રભુ મહાવીર આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીથઁકર પરમાત્‍મા પણ આ જ  ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.

આ અહિંસામય ધમૅ જ ધ્રુવ અને શાશ્વત છે.અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્‍મા પ્રભુ મહાવીર સ્‍વામીએ ૩૦ માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વષૅ અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આયૅ તેમજ અનાયૅ ક્ષેત્રોમાં  વિચરણ કરી અજબ - ગજબની સાધના - આરાધના કરી. કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે શ્‍યામક ગાથાપતિની સુથાર શાળામાં ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર ગોદુ આસને વૈશાખ સુદ દશમના પ્રભુને  કેવળજ્ઞાન અને કેવળ દશૅનની પ્રાપ્તિ થઈ ત્‍યારે ધમૅ દેશના અથૉત્‌ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ પ્રભુની પ્રથમ દેશના નિષ્‍ફળ ગઇ કારણકે માત્ર દેવોની જ ઉપસ્‍થિતિ હતી.

અવ્રતી હોવાને કારણે કોઇ જીવાત્‍માએ વ્રત - પચ્‍ચખાણ અંગીકાર કર્યા નહીં,જેને અભાવિત પરિષદ કહેવાય છે. આ ઘટના જૈન દશૅનમાં આヘર્યકારક ઘટના એટલે કે શાષાની પરીભાષામાં અચ્‍છેરા તરીકે નોંધાણું.

બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ દેશના - સદ્દબોધ આપ્‍યો.

પાવાપુરીના પુનિત પ્રાંગણે પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ ઈન્‍દ્રભુતિ આદિ અગિયાર બ્રાહ્મણો પોતાના શિષ્‍ય પરિવાર સાથે દીક્ષિત થયા.અનેક આત્‍માઓએ બાર વ્રત અંગીકાર કર્યા. આ જ દિવસે તારક તીર્થકર પ્રભુએ તીથૅની સ્‍થાપના કરી એટલે કે સાધુ, સાધ્‍વી, શ્રાવક અને શ્રાવિકા.

પ્રભુના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો,૩૬૦૦૦ શ્રમણીઓ,૧૫૯૦૦૦ શ્રાવકો તથા ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી.

પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુએ ખૂબ સુંદર વાત કરી કે જગતના દરેક જીવો સાથે પોતાના આત્‍મા સમાન વ્‍યવહાર રાખવો,જેવી રીતે અનંતા તીર્થકર ભગવંતો રાખતા હતા.ગૌતમ ગણધર હોય કે ગોશાલક,ચંદન બાળા હોય કે પછી ચંડ કૌશીક સપૅ હોય. પ્રભુએ ફરમાવ્‍યુ કે...

પ્રત્‍યેક જીવને સુખ પ્રિય છે. દરેક જીવોને જીવન પ્રિય છે,મરવુ કોઈને ગમતું નથી.

ગણધર ભગવંતોએ પ્રભુની આગમરૂપી અમળતવાણીની ગૂંથણી કરી આગમ - શાષાો રૂપે આપણા સુધી પહોંચાડી અનંત ઉપકાર કર્યો. વૈદિક પરંપરામાં જે સ્‍થાન વેદોનું છે,પારસી ધમૅમાં જે સ્‍થાન અવેસ્‍તાનું છે,ઈસાઈ ધમૅમાં જે સ્‍થાન બાઈબલનું છે,ઈસ્‍લામ ધમૅમાં જે સ્‍થાન કુરાનનું છે,તેવી રીતે જૈન ધમૅમાં આગમ - શાષાોનું અનેરુ સ્‍થાન છે.

આગમ એ અરિહંત તીર્થકર પરમાત્‍માનું પ્રતિનિધિત્‍વ કરે છે.એટલે જ કહેવાય છે આગમ એટલે જ અરિહંત...! પ્રભુની અનંતી કળપાથી જ વતૅમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાષાો રૂપી મહામૂલી મોંઘેરી મૂડી છે.

સ્‍થાનકવાસી તિથિ પંચાંગ પ્રમાણે તા.૧૧ને બુધવારના રોજ  વૈશાખ સુદ અગિયારસના જિન શાસનનો ૨૫૭૮ મો સ્‍થાપના દિવસ છે તથા ઉપકારી ૧૧ ગણધર ભગવંતોનો દિક્ષા દિવસ પણ છે.પ્રભુ મહાવીર નિવૉણ પધાર્યા ને ૨૫૪૮ વષૅ થયા,હજુ પંચમ આરાના ૧૮૪૫૨ વષૅ આ જિન શાસન ઝગમગતું, ઝળહળતું, વિજયવંતુ, જયવંતુ રહેવાનું છે.

   સંકલન

મનોજ ડેલીવાળા,

રાજકોટ, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(2:44 pm IST)