Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ભગવતીપરામાં ચંદાબેનનો ફાંસો ખાઇ આપઘાત

પતિ કારખાનેથી આવ્‍યા ત્‍યારે પત્‍ની લટકતી જોવા મળીઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૦: શહેરના ભગવતીપરામાં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા સુખસાગર હોલની સામે રહેતા ચંદાબેન હરેશભાઇ આથડી (ઉ.વ. ૩પ) એ ગઇકાલે પોતાના ઘરે પંખાના હુકમાં દુ પટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો પતિ કારખાનેથી ઘરે આવતા પત્‍નીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી બળદેવભાઇ ચૌહાણે તપાસ કરતા મહિલાનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પી.એસ.આઇ. બી. બી. કોડીયાતર તથા રાઇટર મનોજભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ચંદાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ દાંતણ બનાવવાનું કારખાનું ધરાવે છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:44 pm IST)