Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરેન્‍દ્રનગરના જોરાવરનગરમાં હનીફ કટીયાને પોલીસે માર મારતા દાખલ

યુવાનને રાજકોટ ખસેડાયો : પોલીસ પુછપરછ માટે લઇ ગયા બાદ માર માર્યાનો આક્ષેપ

રાજકોટ, તા., ૧૦: સુરેન્‍દ્રનગરના જોરાવરનગરમાં પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગત મુજબ જોરાવરનગરના રતનપર ધારમાં રહેતો હનીફ તાજમહંમદ કટીયા (ઉ.વ.ર૪) રાત્રે જોરાવરનગર પોલીસ સ્‍ટેશનની પાછળ હતો ત્‍યારે અજાણ્‍યા પોલીસના માણસોએ આવી તેને પુછપરછ કરવા માટે પોલીસ મથકે લઇ ગયા બાદ માર માર્યાનો આક્ષેપ કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે જોરાવરનગર પોલીસે તપાસ આદરી છે.

(2:43 pm IST)