Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજકોટ ગુરૂકુળના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન

રાજકોટ તા. ૧૦ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાન દ્વારા ઉજવાનાર અમૃત મહોત્‍સવ અંતર્ગત રાજકોટ ગુરૂકુળનાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન તા. ર૮ અને ર૯ મેએ રાજકોટ ગુરૂકુળમાં યોજાનાર છે. આયોજન માટે મહંત સ્‍વામી શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના આશીર્વાદ મળ્‍યા છે. શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી પ્રેરણાદાતા છે.
સ્‍નેહ મિલનમાં લક્ષ્મીનારાયણદાસજી સ્‍વામી, નારાયણપ્રસાદદાસજી સ્‍વામી, સંતવલ્લભદાસજી સ્‍વામી, જ્ઞાનસ્‍વરૂપદાસજી સ્‍વામી, ધર્મવલ્લભદાસજી સ્‍વામી, કૃષ્‍ણપ્રિયદાસજી સ્‍વામી વગેરે ઉપસ્‍થિત રહેશે.

 

(4:07 pm IST)